શહેરમાં કોરોનાની સાથે સાથે હવે પાણી જન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે. મંગળવારે ડેન્ગ્યુમાં સપડાયેલા યુવકના મોત બાદ બુધવારે કમળાની બીમારીમાં સપડાયેલા ડુંભાલના યુવકનું મોત નિપજ્યું હતું. ડુંભાલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન પાસે અમેઝીયાની પાછળ રહેતા રાજુભાઈ નાથુભાઈ પરાતે(35) છેટલા કેટલાક દિવસથી કમળાની બીમારીથી પીડાતા હતા જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા. જોકે મંગળવારે રાત્રે તેમને સ્મીમેર હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન બુધવારે સવારે તેમનું ઘરે જ મોત નિપજ્યું હતું. રાજુભાઈનું ઘરે જ મોત નિપજ્યું થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3grhRM8
Comments
Post a Comment