ઈદ માટે ખરીદેલો પાડો ગુમ થતાં તેને શોધવા નીકળેલા યુવક તેના પિતા, પાડોશીને 10થી વધુ લોકોએ કસાઈ સમજી માર માર્યો હતો. આ અંગે યુવકે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, સીએનો અભ્યાસ કરતા દાણીલીમડાના અવેષ શેખના પિતા બકરી ઈદ માટે એક નાનો પાડો લાવ્યા હતા. જોકે આ પાડો સવારે ક્યાંક જતો રહ્યો હતો. આથી તેઓ જિન્દાલ કંપની તરફના રોડ પર તેને શોધવા નીકળ્યા હતા. અવેષ, તેના પિતા, પાડોશી રાણીપુર પાટિયા પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ લાકડીઓ વડે તેમને માર માર્યો હતો. આથી ઇજાગ્રસ્ત થતાં તેમને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ અવેષની ફરિયાદને આધારે પોલીસે સતીષ ઉર્ફે બોયો ભરવાડ, વિજય ભરવાડ સહિત 12 સામે ગુનો નોંધ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/305Taza
Comments
Post a Comment