કોરોનાના કારણે કારખાના બંધ થતા શ્રમિકોએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો ત્યારે એસએમસીનું દબાણ ખાતું અને પોલીસ તેઓને હેરાન કરે છે. દબાણ ખાતું ગરીબોની લારીઓ લઈ જાય છે. ગરીબોનું કહેવું છે કે, હવે અમે જીવીએ તો કેવી રીતે જીવીએ.એક પાર્ટીના નેતા માટે હજારો લોકો ભેગા થાય ત્યારે તંત્ર તેઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતી અને અહીં પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે શાકભાજીની લારીઓ ફેરવે છે તેમની લારીઓ લઈ જાય છે. શુક્રવારે સવારે વરાછામાં લમ્બે હનુમાન રોડ પર વસંત ભીખાની વાડીની આસપાસ શાકભાજી વેચનારાઓ ઉભા હતા ત્યારે એસએમસીનું દબાણ ખાતાના કર્મચારીઓએ દોડાવી-દોડાવીને લારીઓ આંચકી લેતા શાકભાજીનો નાના પાયે ધંધો કરનારા આ શ્રમિકો પર સંકટ આવી પડ્યું છે.
હાથ જોડ્યા, પગે પડ્યા તો પણ લારીઓ ના છોડી
બબલુકુમારે કહ્યું કે, બે માસમાં ચાર લારી લઈ ગયા. સોસા.માં લોકો ઘુસવા નથી દેતા બહાર પાલિકા-પોલીસ દંડા મારે છે તો અમે કેવી રીતે જીવીએ.
વિનય ગુપ્તાએ કહ્યું કે, પાલિકાવાળા મારીને લારી લઈ ગયા.શાકભાજી ફેકી દીધી.હાથ જોડ્યા,પગે પડ્યો છતા લારી ન છોડી.ઘર કેવી રીતે ચાલશે.
લાલચંદ ગુપ્તાએ જણાવ્યું કે, એસએમસી કહે કે ફેરી મારો કાંઈ વાંધો નહીં,પોલીસ કહે ડિસ્ટન્સ રાખો. અમે સુચનાનું પાલન કરીએ છતાં લારીઓ લઈ જાય છે. અમે ભાડાની લારી ફેરવીએ છે. છેલ્લા પાંચ મહિનાથી હેરાન થઈ ગયા છે. હવે આવું ચાલ્યું તો અમે કેવી રીતે જીવીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hSbh1N
Comments
Post a Comment