હોમ આઈસોલેશનના દર્દીઓ પાંચમા દિવસે ઘર બંધ કરી ફરાર

કોરોના પોઝિટિવ આવતા પરિવારને પાલિકાના સ્ટાફે હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચના આપી 4 દિવસમાં પરિવાર ઘર બંધ કરી વતન જતા રહ્યા હતા. પાલિકાના આરોગ્ય નિરીક્ષક સુનિલ પટેલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે વડોદ પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેતા પંથરી સખારામ પાટીલ, વૈશાલી પંથરી પાટીલ અને ચંદ્ર્ભગા સખારામ પાટીલ સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે 23મી તારીખે બમરોલી હેલ્થ સેન્ટર દ્વારા લીસ્ટ મળ્યું જેમાં પંથરી પાટીલ(36)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પાલિકાએ પંથરી અને તેના પરિવારને હોમ આઈસોલેશનમાં રહેવાની વાત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/314halw

Comments