ડાંગમાંથી પસાર થતી લોકમાતા અંબિકા નદીના નીર 250 ફૂટ ઉંચા ગીરાધોધ પરથી નીચે વરસી રહ્યા છે પરંતુ કાેરાેનાના ગ્રહણના કારણે આ વર્ષે સહેલાણીઆે કુદરતનાે આ નજારાે નિહાળવાથી વંચિત રહ્યા છે. વર્ષોથી ચોમાસા દરમિયાન આ ધોધના સૌંદર્યને માણવા રોજ સેંકડો સહેલાણીઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ધોધ જોવા ઉત્સુક સહેલાણીઓને કોરોનાનું ગ્રહણ નડયું છે.
ગીરાધોધ પાસે સહેલાણીઓની પ્રવેશબંધી કરાતા જ અનેક સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ જવા પામી છે. આ ધોધ નજીક ધંધો કરતા લોકોની આવક પર હાલ કોરોનાએ પૂર્ણવિરામ મૂકી દીધું હોય ત્યારે આ ગીરાધોધના માધ્યમથી આજીવિકા રળતા લોકોએ અન્ય વ્યવસાય તરફ હાલ પૂરતું વળવું પડ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/307g60V
Comments
Post a Comment