ચેમ્બરમાં દિનેશ નાવડિયાને વચગાળાના પ્રમુખ નિમવા માંગ

કોરોનાની સ્થિતિને લીધે ઇલેક્શન પાછળ ઠેલવાતા જ્યાં સુધી ચેમ્બરના મેનેજીંગ કમિટી અને ઉપપ્રમુખની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી હાલના ઉપપ્રમુખ દિનેશ નાવડિયાને ઈન્ટરીમ પ્રેસિડેન્ટ બનાવી દેવા માટે ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીના 157 પૈકી 102 સભ્યોએ રીકવિઝિશન મેનેજીંગની મિટિંગ બોલાવી લેવા માંગ કરી છે.

7 જૂને હાલના ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ચેમ્બરની મેનેજીંગ કમિટીના 157 પૈકી 102 સભ્યોએ 26 જુલાઈએ ચેમ્બર પ્રમુખને ઈ-મેઈલ કરીને ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટીની ચૂંટણી ન થાય ત્યાં સુધી વર્તમાન ઉપપ્રમુખ દિનેશ નાવડીયાને ઈન્ટરીમ પ્રેસિડેન્ટ બનાવવા દરખાસ્ત કરી છે. જેના માટે સરસાણા કન્વેનશન સેન્ટરના પ્લેટિનમ હોલમાં પોલીસની મંજૂરી લઈ 125 લોકોની બેઠક યોજવા અથવા ઝૂમ જેવી ઓનલાઈન એપ્લિકેશન પર મિટિંગ કરવા માટે માંગ કરી છે. જેને પગલે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ 30 જુલાઈએ ચેમ્બરની ઝૂમ એપ્લિકેશન પર ઓનલાઈન મિટીંગ બોલાવી છે. જેમાં બેઠકના એજન્ડામાં સાર ઇન્ફ્રાકોન અને સરસાણા કન્વેનશન સેન્ટરના વહીવટનો મુદ્દો સામેલ કરી માજી પ્રમુખોના જૂથને જવાબ આપવાની વાતને એજન્ડામાં લેવાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3f6xJlW

Comments